ધ્યાનની ક્રમબંધ રીત –
- સૌ પ્રથમ એક આરામદાયક સ્થિતિમાં બેસવું.
- તમે ધ્યાન કરવા માટે જમીન પર પલાઠી વળી બેસી શકો છો, જમીન પર સુઈ શકો છો અથવા ખુરશીમાં કે સોફા પર પણ બેસી શકો છો.
- ગુરૂ સિયાગના ચિત્રને ખુલ્લી આંખે એક કે બે મિનીટ માટે જોવું.
- હવે આંખ બંધ કરી મનો મન ગુરુદેવને ૧૫ મિનીટ માટે ધ્યાન લાગે તેવી પ્રાથના કરવી.
- પછી આંખ બંધ રાખી ગુરુ સિયાગના ચિત્ર ને બન્ને આંખ વચ્ચે (જ્યાં સ્ત્રી ચાન્લો કરે છે) માનસિક રીતે જોવાનો પ્રયત્ન કરવો.
- ગુરુદેવના ચિત્રનું ધ્યાન કરતા-કરતા મનો-મન ગુરુદેવ દ્વારા અપાયેલા મંત્રનો માનસિક જાપ કરવો.
- ધ્યાન દરમિયાન તમે અમુંક આપમેળે થતી યોગિક ક્રિયાઓ અને હલન-ચલન અનુભવી શકો છો. જેવીકે આગળ-પાછળ લહેરાવુ, માથાનુ હલવું, માથાની ડાબેથી જમણે અને જમણેથી ડાબે ઝડપથી હલન-ચલન થવી, પેટનુ ફુલાવુ અને અંદર દબાવવુ, તાળીઓ પાડવી, ગળાથી ગણ-ગણવુ, આહ ભરવી અથવા આળસ ખાવી વગેરેનો સમાવેશ થાય છે. જયારે આ ક્રિયાઓ થાય ત્યારે તમારે જરાય પણ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. આ ક્રિયાઓ કુંડલીની શક્તિ દ્વારા તમારા ભલા અને ભવિષ્યની પ્રગતિ માટે આપમેળે થાય છે.
- ઘણી વખત તમે કંપન અનુભવવુ, તેજસ્વી પ્રકાશ દેખાવો, રંગો તેમંજ દ્રશ્યો દેખાવા, અથવા ભૂત અને ભવિષ્ય કાળની ઘટનાઓ દેખાવી, જેવા અનુભવો થઇ શકે છે. આ દર્શાવે છે કે તમે આધ્યાત્મિક માર્ગ માં પ્રગતિ કરી રહ્યા છો.
- તેમ છતાં જો તમે કોઈ યોગિક ક્રિયાઓ કે દ્રશ્યોનો અનુભવ ના કરો તેનો અર્થ એ નથી થતો કે તમારી પ્રગતિ નથી થઇ રહી. શક્ય છે કે તમારી દિવ્ય શક્તિ જાગૃત તો થઇ ગઈ છે પણ તમને કોઈ ક્રિયાની જરૂર ન હોવાના લીધે તમે અનુભવી નથી રહ્યા.
- તમે અનુભવશો કે જેટલો સમય માંગીને તમે ધ્યાન કરવા બેઠા હતા તેટલા જ સમયમાં તમારુ ધ્યાન સમાપ્ત થઇ જશે.
ધ્યાન દરમિયાન મહત્વપૂર્ણ મુદ્દાઓ –
- ખાતરી કરો કે તમે આરામ-દાયક અને સહજ સ્થિતિમાં છો કારણ કે તે વિવિધ યોગ આસન, ક્રિયા, બંધ, મુદ્રા ને માં મદદરૂપ થશે અને કુંડલિની દ્વારા થતા પ્રાણાયામમાં અવરોધ નહિ કરે છે.
- ધ્યાન દરમિયાન તમારી આંખો બંધ રાખો.
- ધ્યાન દિવસના કોઈપણ સમયે અને કોઈપણ જગ્યાએ તમને યોગ્ય લાગે ત્યાં કરી શકાય છે. તમે કોઈપણ દિશામાં બેસીને ધ્યાન કરી શકો છો.
- ધ્યાન તમે જમ્યા ના બે કલાક પછી ખાલી પેટ કરવું જોઈએ. જમ્યા પછી તરત ધ્યાન કરવાથી તમને નિદ્રા આવે છે અને ધ્યાન દરમ્યાન તમે કંટાળી શકો છો. જો તમે ધ્યાન કરતા પહેલા જમ્યા હોવ તો, ઝડપી અને આપમેળે થતી યોગિકક્રિયાઓ થી તમને ઉબકા અને ઉલટી આવી શકે છે.
- જો તમે ધ્યાનમાં આજ્ઞાચક્ર પર 15 મિનિટ ગુરુદેવના ચિત્રની કલ્પના કરી શકતા નથી, તો તેની ચિંતા કરશો નહીં. શરૂઆતની થોડી મિનિટો માટે ચિત્રની કલ્પના કરવાનો પ્રયાસ કરો. જો તે પછી ચિત્ર દૂર થઈ જાય, તો ધ્યાન આજ્ઞાચક્ર પર કેન્દ્રિત રાખી અને મંત્રનો જાપ કરતા રહો.
- ધ્યાન દરમિયાન વિચારો આવવા એ સ્વાભાવિક છે. દિવસ દરમિયાન તમે જેટલા મંત્રનો જાપ કરો છો તેટલું જ મન સાધના વિશે વધુ કેન્દ્રિત થાય છે. માટે જો તમે ધ્યાન દરમિયાન જેટલા વિચારોથી ઘેરાયેલા હોવ તો તમે ધ્યાન તોડશો નહીં પણ ચાલુ જ રાખજો. તમે જોશો કે તમારું મન થોડા સમય પછી સ્થિર થવા લાગશે. ઉપરાંત, નિયમિત પ્રેક્ટિસથી તમારી એકાગ્રતામાં પણ સુધારો આવશે.
- ધ્યાન દરમિયાન તમે શરીરમાં કંપન, મેરૂ સ્તંભમાં ઇલેક્ટ્રિક પ્રવાહનો અનુભવ, ભમવું, આગળ અથવા પાછળની બાજુ નમવું, જમીન પર આળોટવું, તાળીઓ પાડવી, બૂમો પાડવી, રડવું, હસવું અને ગાવું જેવા અન્ય અનુભવો પણ થઈ શકે છે. તમે તેજસ્વી પ્રકાશ જોઈ શકો છો, સુગંધિત ગંધને અનુભવી શકો છો, તમે ઘંટનો અથવા ડ્રમ ના ગર્જવું કે મેઘગર્જના જેવા અનુભવો પણ કરી શકો છો. અમુક અપવાદરૂપ કિસ્સાઓમાં, તમે પૂર અથવા ભૂકંપ જેવા કેટલાક ભયાનક દ્રશ્યો પણ જોઈ શકો છો. પણ તમે ઉત્તેજના, આનંદ અથવા ડરને કારણે તમારું ધ્યાન તોડશો નહીં. દૈવી શક્તિ કુંડલિની તમારા શરીર અને મનને શુદ્ધ કરવા અને રોગો / વ્યસન વગેરેથી મુક્ત કરવા માટે આ અનુભવો પ્રેરિત કરે છે અને આ રીતે તમારી આધ્યાત્મિક પ્રગતિની ખાતરી આપે છે.
- જો તમને ઉપરોક્ત કોઈપણ યોગિક હલનચલન અથવા સંવેદનાનો અનુભવ ના કરો તો પણ તમે ધ્યાન તોડશો નહીં. આ અનુભવોની ગેરહાજરીનો અર્થ એ નથી કે તમે પ્રગતિ નથી કરી રહ્યા. કેટલીકવાર, નિયમિત આધ્યાત્મિક સાધનાના થોડા દિવસો અથવા મહિનાઓ પછી પણ આ અનુભવો થવાનું શરૂ થાય છે.
- દરરોજ ઓછામાં ઓછું બે વાર ધ્યાન કરવું એ પ્રગતિની ચાવી છે.
- મંત્રનો જાપ કર્યા વિના ધ્યાન કરવાથી કોઈ પરિણામ મળશે નહીં. ધ્યાન દરમિયાન મંત્ર જાપ કરવો આવશ્યક છે.
- મંત્રનો જાપ ચોવીસ કલાક (લગાતાર, બને તેટલો) કરવો જોઈએ. આનો અર્થ એ છે કે સાધકે દૈનિક પ્રવૃત્તિઓ જેમ કે દાંત સાફ કરવા, હજામત કરવી, નાહવું, નાસ્તો / બપોરના ભોજન / રાત્રિભોજન, બસ, ટ્રેન, કારમાં ઓફિસમાં, ઘરે ટીવી જોતી વખતે તથા અન્ય કોઈ કાર્ય દરમિયાન મંત્રનો જાપ કરવો જોઈએ.
- જો તમે કોઈની સાથે વાત કરી રહ્યા છો, તો તમને મંત્ર જાપ કરવો મુશ્કેલ થઈ શકે છે પરંતુ વાતચીત પૂર્ણ થયા પછી ફરી થી શરૂ કરી શકો છો.
- મંત્ર નો જાપ જીભ અને હોઠ હલાવ્યા વગર કરવાનો હોવાથી, તમને કોઈ સામાજિક અગવડતા નહીં આવે. આ પ્રકારે મંત્રનો જાપ તમારી ઓફિસ, ઘર કે બહાર કોઈને ખલેલ પણ પહોંચાડશે નહીં.
- જ્યારે તમે ચાર – પાંચ અઠવાડિયા સુધી મંત્રનો સતત જાપ કરો છો ત્યારે જાપ આપમેળે થવા લાગે છે. આ અવસ્થાને અજપા જાપ કહેવામાં આવે છે. અજપા જાપ સાધકના કોઈ પ્રયત્નો વિના થાય છે. જ્યારે તમે આ અવસ્થામાં પહોંચશો, ત્યારે તમારે મંત્રનો જાપ કરવો પડશે નહીં; તમારા ગુરુ તમારા વતી તે કરે છે.

