ગુરુ સિયાગ યોગા

ચોવીસ કલાક માનસિક જાપ: તમે ગુરુદેવ ની સ્પીચમાં ઘણીવાર સાંભળ્યું હશે કે મંત્રને રાઉન્ડ ઘી ક્લોક જપવો. આનો અર્થ શું થાય? ૨૪ કલાક જપ કરવો શક્ય છે? જો તમે ૨૪ કલાક જપશો તો ઊંઘ ક્યારે લેશો? કે ઊંઘતા સમયે કેવી રીતે જપશો? આનો ઉત્તર છે કે તમે જયારે જાગ્રત હોવ ત્યારે, રોજિંદી દિનચર્યા કરતા, ખાતા, ડરાઇવીગ કરતા, નાહતા, ચાલતા, કસરત કરતા, કામ પર જતા, કે આરામ કરતા જેટલો થઇ શકે તેટલો અધિકતમ નામ-જપ કરવો. જો તમે જાગતા સમયે ગંભીરતાથી બને તેટલો વધુ મંત્ર જપ કરો છો તો તમે થોડાક જ દિવસમાં અનુભવશો કે મંત્ર આપમેળે જપાવા લાગ્યો છે, એટલે કે અજપા-જપ ચાલુ થઇ ગયા છે. ગુરુ સિયાગ કહે છે કે તેમના દ્વારા આપવામાં આવેલો મંત્ર જો મન થી જપવામાં આવેતો ૧૫-૨૦ દિવસમાં મંત્ર જાતે જપાવા લાગે છે. ત્યાંસુધી કે રાત્રે અચાનક આંખ ખુલવા તમે અનુભવશો કે તમારી અંદર મંત્ર ચાલી રહ્યો છે. તમને એવું લાગશે કે તમારે મંત્ર જપવો નથી પડતો, તે મંત્ર જપવાની જવાબદારી અંદર કોઈ બીજાએ લઇ લીધી છે.

કામ કરતા-કરતા મંત્ર કેવીરીતે જપીએ: મોટાભાગના સાધકોની સમસ્યા હોય છે કે જયારે કામ કરતા હોઈએ ત્યારે મંત્ર જાપ કેવીરીતે કરીયે? કોમ્પ્યુટર ઉપર કામ કરતા સમયે, પ્રોજેક્ટ બનાવતા સમયે, એકાઉન્ટનું કામ કરતા સમયે, બાળકોને ભણાવતા સમયે કે અન્ય કામ કરતા સમયે મંત્ર-જપ કરવાનું કેવીરીતે યાદ રાખી શકાય? ૮ કલાક નોકરી કરવામાં, ૮ કલાક ઊંઘવામાં જતા રહે છે તો વઘ્યાં ૮ કલાક, તો તેમાં કેવીરીતે માનસિક જાપ પ્રભાવી રૂપથી કરી શકાય? તો બાકીના ૮ કલાક જયારે નોકરી પર કે ઊંઘતા નથી હોતા ત્યારે ભૂલ્યા વગર મંત્ર-જાપ ને સઘન રૂપથી ગંભીરતાથી કરવા જોઈએ. તો આ પ્રકારે મંત્ર-જાપ જાગતા બાકીના કલાકોમાં કરીયે છીએ તો મંત્ર-જાપ આપમેળે જપાવા લાગે છે. ગુરુ સિયાગ કહે છેકે મંત્ર-જાપ આ પ્રકારે અજપા-જાપ માં પરિવર્તિત થઇ જાય છે. સાધક જેમ આ પ્રકારે ગંભીર પ્રયાસ કરે છે તો માનસિક જાપ વગર પ્રયાસે આપમેળે જપાવા લાગે છે, કામ કરતા સમયે પણ. દિવસમાં કામ કરતા હોઈએ ત્યારે ૫-૭ વાર ચેક કરીલેવું કે મંત્ર-જાપ જપાઈ રહ્યો છે કે નહિ. તમે અનુભવશો કે મંત્ર અંદરથી જપાઈ રહ્યો છે.

જીભ કે હોઠ નું હલન-ચલન: મંત્ર મનો-મન જીભ કે હોઠ હલ્યા વગર જપવો જોઈએ. તમે જયારે કોઈ પુસ્તક કે સમાચાર પત્ર વાંચતા હોવ છો ત્યારે તમારી નજર ફક્ત શબ્દો ઉપર જ ફરતી હોય છે પણ હોઠ તથા જીભ શાંત હોય છે. મંત્ર પણ તે જ પ્રકારે જપવાનો હોય છે. મંત્રને મધ્યમ ગતિ થી જપવો, નહિ ખુબ ઝડપથી કે નહિ ખુબ ધીરે. ખુબ ધીરે જપવા ના કારણે મન ભટકશે અને ખુબ ઝડપથી જપવામાં મંત્રના શબ્દોનું ઉચ્ચારણ સરખી રીતે થઇ શકતું નથી.

ગુરુદેવ સિયાગ ના અવાજમાં મંત્ર: ગુરુ સિયાગ દ્વારા કહેવાયેલી સ્પીચમાં ઘણા સાધકો કન્ફુઝ થઇ ગયા. ગુરુ સિયાગે કહ્યું કે “મારો અવાજ સાથે રાખો” ઘણા સાધકોએ આનો એવો અર્થ કાઢ્યો કે મંત્ર-જાપ ગુરુ સિયાગના અવાજ થી જ કરવો જોઈએ, એટલે મંત્ર-જાપ ના સમયે ગુરુદેવના અવાજને માનસિક રૂપથી યાદ કરવાનો છે. આ સાચું નથી, કેમ કે આમ કરવાથી એક ખુબજ સાધારણ આધ્યાત્મિક ક્રિયા વગર વાતે ખુબજ કઠીણ બની જાય છે. ગુરુ સિયાગનું સીધું કહેવાનું છે કે જયારે કોઈ નવા વ્યક્તિને મંત્ર આપવામાં આવે ત્યારે તે પહેલીવખત ગુરુ સિયાગના અવાજથી જ મંત્ર સાંભળે. તમારે કોઈને પણ મંત્ર જોરથી બોલીને કહેવાનો નથી, ગુરુ સિયાગનો ઓડીઓ કે વિડિઓ ચલાવીને મંત્ર ગુરુદેવના અવાજમાં સંભળાવવાનો છે.

error: Content is protected !!