ગુરુ સિયાગ યોગા

  • જો આધ્યાત્મિકતા કે ઈશ્વરીય અનુકંપાથી સાજા થવાની પ્રબળ ઈચ્છા છે તો ગુરુ સિયાગના મંત્રનો સઘન જાપ કરવો. જેવો તમને સમય મળે તેમ મંત્ર જાપ ને બીજી બધી દુનિયાદારી ના કામ થી વધુ પ્રમુખતા આપવી. જેમકે ઘણા લોકો ખાલી સમયમાં ટી.વી જોશે, વિડિઓ ગેમ રમશે, સોશિયલ મીડિયા માં ચેટ કરી સમય પસાર કરશે, તે સમયે તેમને મંત્ર-જાપ યાદ પણ નહિ આવે. અને પછી કહેશે કે મંત્ર-જાપ માટે સમય જ નથી મળતો. શરૂઆતના થોડા દિવસોમાં બિનજરૂરી દૈનિક ક્રિયાઓ ને પ્રમુખતા આપવાની જગ્યાએ હોશપૂર્વક મંત્ર-જાપ કરવો ઉચિત રહેશે.
  • ફોન માં કે ઘડિયાળ માં થોડાક સમયાંતરે અલાર્મ લગાવવું જેથી મંત્ર-જાપ વારંવાર યાદ આવે.
  • જો બે કે બે થી વધુ લોકો મંત્ર-જાપ કરી રહ્યા હોય તો બધા એકબીજાને મંત્ર જપવા માટે યાદ કરાવતા રહે.
  • કોઈ વસ્તુ કે શરીર ઉપર પહેરેલા કોઈ આભુષણને મંત્ર-જાપ કરવાની યાદ અપાવતી નિશાની બનાવામાં આવે જેથી વારંવાર મંત્ર-જાપ કરવાનું યાદ આવે. આવું કોઈ સ્થાન કે વસ્તુ જોતા જ તમારો મંત્ર-જાપ શરુ થઇ જશે.
  • ગુરુ સિયાગનું કહેવું છે કે તમે આ પ્રકારનો કોઈપણ ઉપાય મંત્ર-જાપ યાદ કરવા માટે અપનાવી શકો છો.
error: Content is protected !!